ભરૂચ: દહેજની નિયોજન કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 16 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના દેહેજના આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયરટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
ભરૂચના દહેજનો બનાવ
Advertisment
સેઝ-2માં આવેલ કેમિકલ કંપનીમાં આગ
નિયોજન કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી
16 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચના દેહેજના આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયરટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો
Advertisment

ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દહેજના સેઝ-2માં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે અગન જવાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી.આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. લગભગ પાંચથી સાડા પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કંપનીના એમ.પી.પી.-3 પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં કંપનીનું વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો.ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જો કે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : પ્રેમસંબંધની રીસમાં યુવતીના ઘરે ધમાલ મચાવતા ત્રણ ટપોરીઓની પોલીસે કરી ધરપકડ,અન્ય એક વોન્ટેડ

અંકલેશ્વર કાપોદ્રા પાટીયા પાસેની એક સોસાયટીમાં યુવતી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખીને ચાર જેટલા તોફાની ઈસમોએ ધાંધલ ધમાલ મચાવી હતી,

New Update
  • અંકલેશ્વરમાં લાંબરમૂછિયાઓની ગુંડાગીરી

  • પ્રેમસંબંધની રીસ રાખીને યુવતીના ઘરે મચાવ્યો આતંક

  • યુવતીના પરિવારના સભ્યોને મારમારીને આપી ધમકી

  • યુવતીના ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ

  • પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ એક વોન્ટેડ

Advertisment

અંકલેશ્વર કાપોદ્રા પાટીયા પાસેની એક સોસાયટીમાં યુવતી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખીને ચાર જેટલા તોફાની ઈસમોએ ધાંધલ ધમાલ મચાવી હતી,અને યુવતીના પરિવારને મારમારીને ધાકધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અંકલેશ્વર કાપોદ્રા પાટીયા નજીક આવેલી સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે ચાર જેટલા તોફાની તત્વોએ રીતસરની ગુંડાગીરી કરી હતી.એમાં બન્યું કંઈક એવું હતું કે યુવતી સાથેના પ્રેમસંબંધની રીસ રાખીને ચાર ઈસમો ઓડી કારમાં સવાર થઈને મધ્યરાત્રિ બાદ યુવતીના ઘરે પહોંચી ગયા હતા.અને યુવતીનો ભાઈ કંઈ સમજે ત્યાર પહેલા તેને મારમારવા લાગ્યા હતા,અને યુવતીને અર્ધનગ્ન હાલતમાં બાથરૂમાંથી ખેંચી લાવીને મારમારી ધાકધમકી આપી હતી.સર્જાયેલી ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી.જોકે આ ઘટના સંદર્ભે યુવતીના ભાઈએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ ઈસમો રામ મિશ્રા,અભય મિશ્રા અને સુફિયાનની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય એક અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ગુન્હામાં વપરાયેલ ઓડી કાર નંબર GJ-16-CH-8418 પણ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

 

Advertisment