ભરૂચ: મુંબઈથી આવતી અમૃતસર એક્સપ્રેસમાં અચાનક આગથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા,સદનસીબે જાનહાની ટળી

ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વર ભરૂચ રેલવે ટ્રેક પર ટ્રેનમાં લાગી આગ 

  • મુંબઈથી અમૃતસર જતી ટ્રેનમાં લાગી આગ

  • અમૃતસર એક્સપ્રેસમાં આગથી રેલ યાત્રીઓમાં ફફડાટ 

  • ટ્રેનના ફાયર સેફટીના સાધનોથી આગ પર મેળવાયો કાબુ 

  • મોટી જાનહાની ટળતા સૌ એ લીધો રાહતનો શ્વાસ  

અંકલેશ્વરથી ભરૂચ તરફ દોડતી અમૃતસર એક્સપ્રેસમાં અચાનક આગની ઘટના બનતા રેલ યાત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો.
મુંબઈથી અમૃતસર તરફ દોડતી અમૃતસર એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વરથી ભરૂચ તરફ દોડી રહી હતી,તે દરમિયાન અચાનક કોઈ કારણોસર ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી,જેના કારણે ટ્રેનમાં સવાર રેલ યાત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે સમય સુચકતા વાપરીને ટ્રેનને ભરૂચના સિલ્વર બ્રિજ પહેલા રોકી દેવામાં આવી હતી,અને ટ્રેનના જ ફાયર સેફટીના સાધનોની મદદથી આગ પર ત્વરિત કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી,અને સર્જાયેલી ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારી તેમજ રેલવે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી. 
Read the Next Article

ભરૂચ: કલરવ સંસ્થાનો દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ,તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે

New Update
  • કલરવ સ્કૂલનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ બાળકોને બનાવે છે આત્મનિર્ભર

  • તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

  • રક્ષાબંધન પર્વ નિમત્તે બનાવે છે રાખડી

  • દિવ્યાંગ બાળકો બન્યા સ્વાવલંબી

ભરૂચ શહેરની કલરવ સ્કૂલ દ્વારા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અને બાળકો તહેવારોને અનુરૂપ વસ્તુઓ બનાવી સ્વાવલંબી બની રહયા છે.

ભરૂચ શહેરની કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે. બાળકોને દિવાળીના કોડિયાફાઈલ અને હેન્ડમેડ આઈટમ્સ સહિતની વસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે,અને વસ્તુઓના વેચાણ થકી આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

તાજેતરમાં સંસ્થાએ ફુલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવા મશીન પણ વસાવ્યું છેજેના કારણે બાળકો જાતે વસ્તુઓનું ઉત્પાદન કરી વ્યાવસાયિક દિશામાં આગળ વધી શકે છે. સંસ્થાના સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલી હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.