ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી
અંકલેશ્વરથી ભરૂચ તરફ દોડતી અમૃતસર એક્સપ્રેસમાં અચાનક આગની ઘટના બનતા રેલ યાત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો.
મુંબઈથી અમૃતસર તરફ દોડતી અમૃતસર એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વરથી ભરૂચ તરફ દોડી રહી હતી,તે દરમિયાન અચાનક કોઈ કારણોસર ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી,જેના કારણે ટ્રેનમાં સવાર રેલ યાત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે સમય સુચકતા વાપરીને ટ્રેનને ભરૂચના સિલ્વર બ્રિજ પહેલા રોકી દેવામાં આવી હતી,અને ટ્રેનના જ ફાયર સેફટીના સાધનોની મદદથી આગ પર ત્વરિત કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી,અને સર્જાયેલી ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારી તેમજ રેલવે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
ભરૂચ શહેરની કલરવ સ્કૂલ દ્વારા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અને બાળકો તહેવારોને અનુરૂપ વસ્તુઓ બનાવી સ્વાવલંબી બની રહયા છે.
ભરૂચ શહેરની કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે. બાળકોને દિવાળીના કોડિયા, ફાઈલ અને હેન્ડમેડ આઈટમ્સ સહિતની વસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે,અને વસ્તુઓના વેચાણ થકી આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
તાજેતરમાં સંસ્થાએ ફુલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવા મશીન પણ વસાવ્યું છે, જેના કારણે બાળકો જાતે વસ્તુઓનું ઉત્પાદન કરી વ્યાવસાયિક દિશામાં આગળ વધી શકે છે. સંસ્થાના સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલી હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.