ભરૂચ: વાલિયાના નલધરી ગામ નજીક ટ્રકમાં આગ, વીજ લાઇનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નિકળી

ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી

New Update
aaa

ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી

ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મટીરીયલ નાખવા માટે આવેલ હાઈવા ટ્રકના ચાલકે હાઇડ્રોલિક ઊંચું કરી માટી ખાલી કરી હાઇડ્રોલિક નીચું કરતા ત્યાંથી પસાર થતા સુગર ફીડરની હાઇટેનશન લાઈનમાં ટ્રકનો ઉપરનો ભાગ અડી જતા આગ ભભૂકી ઉઠી હતી.આગને પગલે રાહદારીઓએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ઝઘડિયા ફાયર ફાયટરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ કંપનીના કર્મચારીઓની મદદ વડે વીજ પુરવઠો બંધ કરાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.