ભરૂચ: વરસાદી વિઘ્ન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર ધમધમ્યુ

આ વર્ષે ફટાકડાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. અત્યાર સુધી વરસાદી મહોલના કારણે વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડે એવો માહોલ સર્જાયો હતો વેચાણમાં સારો પ્રતિસાદ મળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

New Update

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડાના સ્ટોલ ઊભા કરાયા

અવનવા પ્રકારના ફટકડા જોવા મળ્યા

રંગોળીના કલર-દીવડાનું પણ વેચાણ

ભાવમાં સામાન્ય વધારો

આ સિઝન સારી જાય એવી વેપારીઓને આશા

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં અવનવા પ્રકારના ફટકડાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર ધમધમતા થયા છે ત્યારે આ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટી બજારમાં આવી ગઈ છે. જોકે, આ વર્ષે ફટાકડાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. અત્યાર સુધી વરસાદી મહોલના કારણે વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડે એવો માહોલ સર્જાયો હતો ત્યારે હવે ફટાકડાના વેચાણમાં સારો પ્રતિસાદ મળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.
ફટાકડાની સાથે રંગોળીના કલર તેમજ દીવડા સહિતની સામગ્રીનું પણ વેચાણ થઈ રહ્યું. દિવાળીના સમયે હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત મુખ્ય માર્ગો પર અને માનવ વસ્તી નજીક પણ ફટાકડા સ્ટોલ ઉભા કરવામાં આવે છે, અને દર દિવાળીએ વહીવટી તંત્ર સુરક્ષા અને સલામતી બાબતે પરિપત્ર બહાર પાડી સંતોષ માની લેવાની જગ્યાએ ફટાકડાના વેપારીઓને કાયદાનું પણ પાલન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે.
સાથે જ કેટલાક વેપારીઓ જણાવી રહ્યા છે કે તેઓ દ્વારા નીતિ નિયમોનું પાલન કરવામાં આવે છે પરંતુ રોડ પર વેચાતા ફટાકડા બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એ બાબતે અધિકારીઓ ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થ અને કબીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી,ભક્તોએ મેળવ્યા ગરુજીના આશીર્વાદ

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

New Update
  • અંકલેશ્વર ગુરુપૂર્ણિમાએ ભક્તિમય રંગમાં રંગાયું

  • ગુરુપૂર્ણિમાએ છલાક્યો ભક્તોનો ભક્તિરસ 

  • રામકુંડ તીર્થ,કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

  • ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

  • ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામકબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.,અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિરસ છલકાયો હતો.