ભરૂચ : ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં વિનામુલ્યે રામલીલા રજૂ કરાય...

ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર નજીક ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં રામલીલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ધોળીકુઇ બજાર નજીક ખત્રીવાડ ખાતે આયોજન

શ્રી કષ્ટભંજન દેવ મંદિરના પટાંગણમાં આયોજન

વિનામુલ્યે રામલીલાનું સુંદર આયોજન કરાયું

રામલીલા મંડળ-પ્રયાગરાજની ટીમ ઉપસ્થિત રહી

મોટી સંખ્યામાં સ્થાનિકોએ રામલીલાને નિહાળી

ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર નજીક ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં રામલીલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં રામલીલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ-પ્રયાગરાજ અયોધ્યાથી 1200 કિલોમીટર દૂર ભરૂચ ખાતે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલીલા ભજવનાર ટીમ ઉત્તરપ્રદેશના અયોધ્યાથી ભરૂચ આવી પહોચી હતી. જોકેરામલીલાનું સુંદર આયોજા વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ રામલીલા લોકોને જુના સમયની યાદ અપાવી હતી. રામલીલામાં દરેક પાત્ર પુરુષો ભજવે છેતેઓ સ્ત્રીઓનું પાત્ર પણ પોતે જ ભજવે છે. તેઓની 15 વ્યક્તિઓની ટીમ મંડપથી માંડીને ટેબલ લાઈટ સુધીની તમામ વ્યવસ્થા સાથે લઈને આવ્યા હતા. દરેક સંવાદ તેઓ પોતાના મોઢેથી બોલીને જાતે કરે છેઅને મ્યુઝિક તેઓ ભારતીય વાજીંત્રો વગાડીને કરે છેત્યારે ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજિત રામલીલાને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.