New Update
/connect-gujarat/media/media_files/2024/12/16/M9uC3My5MAjn13MjCDtX.jpg)
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલા ૬૬ કે.વી. સબસ્ટેશનનું રાજ્યના નાણા વિભાગ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અમલેશ્વર સ્થિત ૬૬ કે.વી. સબસ્ટેશન કુલ ૪૯૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
જેના માટે અંદાજીત રૂપિયા ૧૬.૬૬ કરોડનો ખર્ચ થયો હતો. આ સબસ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા ૩૦ એમ.વી.એ. છે. આ સબસ્ટેશનમાંથી નીકળતા નવા ૧૧ કે.વી. ફીડરોમાં જ્યોતિગ્રામના આમદલા અને અમલેશ્વર જ્યારે ખેતીવાડી ફિડરમાં ચોલાદનો સમાવેશ થાય છે.અમલેશ્વરનું ૬૬ કે.વી. સબસ્ટેશન રાજ્ય સરકારની કિશાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે.
/connect-gujarat/media/media_files/2024/12/16/mZ0pyNV9oVSuabsFDbKt.jpeg)
આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, જેટકોના અઘિકારી કે. એચ. રાઠોડ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા