ભરૂચ: કલકત્તાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

કલકત્તાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી

New Update

કલકત્તામાં બની હતી રેપ વિથ મર્ડરની ઘટના

વિદ્યાર્થીઓમાં  જાગૃતિ આવે એ માટે આયોજન

સંસ્કાર ભારતી વિદ્યાલયમાં પોલીસ દ્વારા સેમિનારનું આયોજન

વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન

પોલીસ અધિકારીઓ અને શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ગજતના બાદ ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસપટલ પર ઘેરી છાપ છોડી છે. છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી.
ભરૂચની સંસ્કાર ભરતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી.ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેકટર નીતિન ચૌધરી અને બી આર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલકેશ ગોહિલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું.
આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓને વિવિધ કિસ્સાઓને ટાંકી અનુચિત  સંજોગોમાં ક્યાં પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય છે તેની માહિતી પુરી પાડવામાં આવી હતી.સેમિનાર ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત,  બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલીંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.