જૂના બોરભાઠા ગામે ૐ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની અનોખી ઉજવણી

ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામ ખાતે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે પર્યાવરણને અનુલક્ષીને ઉજવવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat
New Update

ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામ ખાતે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે પર્યાવરણને અનુલક્ષીને ઉજવવામાં આવ્યું હતું.

આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે બોરભાઠા ગામ ખાતે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે પ્રત્યેક દર્શનાર્થીઓને વૃક્ષનો છોડ આપી ગુરુ વંદનાના ભાગ રૂપે તેના ઉછેર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા જુના બોરભાઠા ગામ સ્થિત નર્મદા તટે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે આજરોજ  ગુરુ પૂર્ણિમા પર્વ વંદનીય ગુરુ પ. પુ. નારાયણ સ્વામીના સાનિધ્યમાં યોજાયો હતો.

જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓને વૃક્ષનો એક છોડ આપી તેનો આગામી ત્રણ મહિના દરમ્યાન ગુરુ વંદનાના ભાગરૂપે યોગ્ય ઉછેર કરી તેના ફોટોગ્રાફસ આશ્રમને મોકલવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમા પર્વની મહતા પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સમજાવાયો હતો.આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા દરમ્યાન અનુયાયીઓએ અડધો કલાક ધ્યાન મુદ્રામાં લિન થઇ ગુરુ ભક્તિમાં એકાકાર બન્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.