ભરૂચ: ભારે પવન અને વરસાદના કારણે ભારે તબાહી, ફાયર વિભાગ લાગ્યું કામે

ભરૂચ શહેરમાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે.

New Update
  • ભરૂચમાં ભારે પવનથી તબાહી

  • ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી

  • વૃક્ષ ધરાશાયી થવાના કારણે માર્ગો બંધ થયા

  • નગરપાલિકાનું ફાયર વિભાગ લાગ્યું કામે

  • 12 કલાકથી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ

ભરૂચ શહેરમાં ભારે પવન સાથે ફુકાયેલા વરસાદના કારણે ભારે તબાહી મટી છે ત્યારે નગર સેવા સદન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે
ભરૂચ શહેરમાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે. ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે માત્ર 3 કલાકની અંદર પાલિકા કંટ્રોલરૂમને 50થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના કોલ મળ્યા હતા. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા પાલિકા તરફથી અલગ-અલગ 7 ટીમો બનાવીને દહેજ બાયપાસ રોડ, મક્તમપુર, લલ્લુભાઈ ચકલા અને પશ્ચિમ ભરૂચમાં કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
આચારજી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં કેટલાક વાહનો તેના નીચે દબાઈ ગયા હતા. પાલિકાની ટીમે વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શહેરના સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને મહમદપુરા વિસ્તારમાં પતરા અને હોલ્ડિંગ્સ ઉડી જતા લોકોએ ભયભીત કરતા દ્રશ્યોનો સામનો કર્યો હતો. પાલિકાની ટીમે 12 કલાકથી વધુ સમયથી સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ જારી રાખ્યો છે. કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળતી નથી, પણ તંત્ર સતત એલર્ટ છે.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.