New Update
ભરૂચનો ચકચારી મર્ડર કેસ
ગતરોમાંથી મળ્યા હતા માનવ અંગો
અંગત મિત્રએ જ મિત્રની કરી હત્યા
પત્નીના અંગત ફોટા ડીલીટ ન કરતા હત્યા કરાય
મૃતદેહના 9 ટુકડા કરાયા
ભરૂચના કોલેજ રોડ પર ગટરમાંથી માનવઅંગો મળી આવવાના ચકચારી મામલામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીના મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી તેનો ગટરમાં નિકાલ કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.યુપીના મેરઠ સર્જાયેલ હત્યાકાંડને ટક્કર મારે એવા ખુલાસા આ કેસમાં પણ થયા છે.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરોમાંથી માનનવ અંગો મળી આવવાની ઘટનામાં મૃતકનું ધડ પણ પોલીસે ગટરમાંથી જ કબ્જે કર્યું હતું. આ મામલામાં મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું.ચકચારી હત્યા કેસમાં પોલીસે મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંગ ચૌહાણની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની અને તેના પ્રેમીએ મળી પતિની ઘાતકી હત્યા કરી મૃતદેહને ડ્રમમાં પેક કરી દીધો હોવાના હત્યાકાંડ જેવા જ આ હત્યાકાંડમાં પણ ખુલાસા થયા છે. મૃતક સચિન અને શૈલેન્દ્રસિંહ ગાઢ મિત્રો હતા. મૃતક સચિનના ફોનમાં શૈલેન્દ્રસિંહ ને પત્નીના અનેક ફોટોગ્રાફ્સ હતા જેના આધારે સચિન શૈલેન્દ્રસિંહને બ્લેકમેલ કરી તેની પાસે પૈસા પડાવતો હતો આ ઉપરાંત શૈલેન્દ્ર એ સચિનના નામે લોન લીધી હતી આ લોનના નાણા બાબતે પણ બંને વચ્ચે અવારનવાર તકરાર ચાલતી હતી.ગત તારીખ 24મી માર્ચે પણ આ બાબતે બન્ને વચ્ચે તકરાર થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ સચિનની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી.આ બાદ બીજા દિવસે તે નોકરીએથી પરત ફરતા સ્ત્રીના કપડા, પોલીથીન બેગ અને કટર લઈ આવ્યો હતો અને ઠંડા કલેજે સચિનના મૃતદેહના 9 ટુકડા કરી સ્ત્રીના વેશમાં અલગ અલગ સમયે ટુકડાને પોલીથીનમાં ભરી ગટરમાં ફેંકી આવ્યો હતો.આ તરફ માનવ અંગો પોલીસને મળ્યા હોવાની માહિતી મળતા જ શૈલેન્દ્ર વતન ઉત્તરપ્રદેશ ફરાર થઇ ગયો હતો.ભરૂચ પોલીસે તાત્કાલિક એક ટીમ દિલ્હી અને ત્યારબાદ ઉત્તરપ્રદેશ રવાના કરી આરોપીને દબોચી લીધો હતો.બીજી તરફ હત્યારાએ સચીનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો. જેના થકી તે વતનમાં રહેલી સચીનની પત્ની અને ભાઈને વોટ્સએપ મેસેજ કરતો હતો. જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગ્લોર જાય છે. તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેને તેની પત્ની ગમતી નથી. તે છુટા છેડા આપી બીજા લગ્ન કરવા માંગે છે તે સહિતના મેસેજ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સચીન શૈલેન્દ્રનો કોલેજ કાળથી મીત્ર હતો. બન્ને ભરૂચ ખાતે 10 વર્ષથી રહેતા હતા. દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા.માત્ર સચીને હત્યારા શૈલેન્દ્રના મોબાઇલમાંથી તેની પત્નીના અંગત ફોટા જ આટલી હદે હત્યા કરવાનું કારણ હોવાની થિયરી હવે લોકોના ગળે ઉતરતી નથી. આટલી નિર્મમ હત્યા બાદ લાશના ટુકડામાં હત્યારા મિત્રની પત્ની અને મૃતક વચ્ચે કોઈ અન્ય સબંધ પણ હોય શકેની ચર્ચાએ જોર પકડ્યું છે.