ભરૂચ : કોંગ્રેસ નેતા યુનુસ પટેલની યાદમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું...

ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતા મર્હુમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

New Update
  • જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • કોંગ્રેસ નેતા યુનુસ પટેલની યાદમાં ફ્રૂટ વિતરણ કરાયું

  • શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો

  • દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મર્હુમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતી

ભરૂચ કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતાં જંબુસર શહેર અને તાલુકાના કોંગ્રેસ દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મર્હુમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતા મર્હુમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જંબુસર શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને સદસ્યોએ ઉપસ્થિત રહી યુનુસ પટેલના આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે હેતુસર ફ્રૂટ વિતરણ કરી સેવાકીય કાર્યની મહેક પ્રસરાવી હતી. આ તકે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરદસિંહ રાણાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાકીર મલેક સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.