ભરૂચ:મનરેગા જેવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીની હોય છે: મનસુખ વસાવા

મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે...

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું છે મનરેગા કૌભાંડ

  • કૌભાંડ અંગે પોલીસની તપાસ તેજ

  • તપાસ માટે સીટની કરવામાં આવશે રચના

  • સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું

  • સિસ્ટમમાં સુધારો કરવો જરૂરી: મનસુખ વસાવા

ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે.

ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસ માટે સ્પેશ્ય ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે.આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે.

બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી પરંતુ બે ત્રણ વર્ષ પછી તપાસ થાય છે જે અયોગ્ય છે. સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે  યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે. આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે.

Read the Next Article

ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.