ભરૂચ:મનરેગા જેવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીની હોય છે: મનસુખ વસાવા

મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે...

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું છે મનરેગા કૌભાંડ

  • કૌભાંડ અંગે પોલીસની તપાસ તેજ

  • તપાસ માટે સીટની કરવામાં આવશે રચના

  • સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું

  • સિસ્ટમમાં સુધારો કરવો જરૂરી: મનસુખ વસાવા

ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે.

ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસ માટે સ્પેશ્ય ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે.આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે.

બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી પરંતુ બે ત્રણ વર્ષ પછી તપાસ થાય છે જે અયોગ્ય છે. સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે  યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે. આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે.

Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.