ભરૂચ:ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ.1 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકર્પણ-ખાતમુહૂર્ત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ઉમરાજ ગામમાં યોજાયો કાર્યક્રમ

  • લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • રૂ.1 કરોડના ખર્ચે 62 પ્રકલ્પોનું નિર્માણ

Advertisment
ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભોલાવ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામપંચાયત વિસ્તારમાં  રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉમરાજથી કાસદ જવાના માર્ગ પર પેવર બ્લોક  અને ગટર લાઈનના કાર્યનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું તો સાથે જ મંગલજ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં બેસાડવામાં આવેલ બ્લોકનું લોકાર્પણ કરાયું હતું.
ગ્રામ પંચાયતની સ્વભંડોળ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ તેમજ 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઈન, ગટર લાઈન, પેપર બ્લોક,સીસી રોડ અને પ્રોટેકશન વોલ મળી કુલ 62 કામો નિર્માણ પામવા જઈ રહ્યા છે જેનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાન અનિલ રાણા સહિત ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

New Update
aaa

તાલુકા મથક હાંસોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

Advertisment W3.CSS
આગામી સમયમાં એટલે કે 7 મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઇદનો તહેવાર આવે છે. ત્યારે હાંસોટ દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં પી.આઈ.વી.એ.લાકોડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી.દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપુર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં હિન્દૂ- મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.