ભરૂચ: નિરંતર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી

New Update

ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી

દક્ષિણ ગુજરાતમાં  અનેક જિલ્લામાં હવે ચોમાસુ જામ્યું હોય તેમ મેઘમહેર ચાલી રહી છે.ભરૂચ પંથકની વાત કરીએ હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ સવારે પણ વરસેલા વરસાદથી જનજવન ઉપર અરસ જોવા મળી હતી. જેના કારણે ભરૂચ શહેરના નીચાણ વાળા વિસ્તાર જેવા કે સેવાશ્રમ,પાંચબત્તી,ફાટા તળાવ,ફુરજા બજાર સહીતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો આજે રવિવારની રજા હોય નાના બાળકો સાથે યુવાનો અને મોટેરાઓએ પણ વરસાદમાં નહાવાની પણ મઝા માણી હતી.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે