ભરૂચ: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નેત્ર નિદાન-ચશ્માના વિતરણનો કેમ્પ યોજાયો

રૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ઇન્ડિયા રેડક્રોસ સોસા.દ્વારા આયોજન

  • રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

  • વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ

  • 200થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા વિના મૂલ્યે ચશ્મા વિતરણ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.આ કેમ્પનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેન્કના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે.જે.ખીલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ પર વકીલ મિત્રએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ મથક નોંધાઇ ફરિયાદ !

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા

New Update
Screenshot_2025-08-13-07-57-15-01_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા નિરલ ઠાકોરે ફરિયાદી મહિલા વકીલને આજથી 10 મહિના પહેલા 26/11/ 2024 ના રોજ facebook ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેને મેં એક્સેપ્ટ કર્યું હતું ત્યારબાદ અમે બંને વચ્ચે મિત્રતા કેળવાતા વકીલ નીરલ ઠાકોર ફરિયાદીના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને લગ્ન કરીશું તેવું વારંવાર વચનો આપ્યા પરંતુ આરોપી વકીલ નીરલ પટેલે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોય અને ફરિયાદી આધેડ મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ નીરલ ઠાકોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે