ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ 27 પૈકી 25 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવ્યા છે.
/connect-gujarat/media/media_files/daYScr9rUHuZGNcuGtBm.jpeg)
માત્ર બે પોલીસ મથક કાવી પોલીસ સ્ટેશન અને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશન હવે અપગ્રેડ કરવાના બાકી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા ગૃહ વિભાગ દ્વારા પોલીસ મથકો અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો