ભરૂચ : જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું તંત્રને આવેદન..

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે.

New Update

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને લઈને જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં હિંદુ તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલા એ સ્પષ્ટ સંકેત છે કેઆજે પણ હિંદુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે. 

મણિપુર હિંસાવધી રહેલો આતંકવાદપંજાબમાં આતંકવાદ અને જમ્મુની તાજેતરની ઘટના સ્પષ્ટ સંકેતો છે કેદેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છેત્યારે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી ખૂબ જ દુઃખી થયું છેત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓને ઓળખીને તેમને મૃત્યુદંડની સજા આપવી જોઈએજેથી કરીને દેશમાં થઈ રહેલી આતંકવાદની ઘટનાઓને રોકવા માટે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ શકે. મૃતક શ્રદ્ધાળુઓના પરિવારને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે તેમજ ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.