ભરૂચ : જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું તંત્રને આવેદન..

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે.

New Update

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને લઈને જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં હિંદુ તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલા એ સ્પષ્ટ સંકેત છે કેઆજે પણ હિંદુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે. 

મણિપુર હિંસાવધી રહેલો આતંકવાદપંજાબમાં આતંકવાદ અને જમ્મુની તાજેતરની ઘટના સ્પષ્ટ સંકેતો છે કેદેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છેત્યારે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી ખૂબ જ દુઃખી થયું છેત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓને ઓળખીને તેમને મૃત્યુદંડની સજા આપવી જોઈએજેથી કરીને દેશમાં થઈ રહેલી આતંકવાદની ઘટનાઓને રોકવા માટે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ શકે. મૃતક શ્રદ્ધાળુઓના પરિવારને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે તેમજ ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરવામાં આવી છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.