ભરૂચ : આમોદ નગરપાલિકામાં 14માં નાણાંપંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતાં તપાસના આદેશ

સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતાં પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વીજીલન્સમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો

New Update
  • નગરપાલિકાના શાસકોએ આચરી ગોબાચારી

  • 14માં નાણાપંચની ગ્રાન્ટનો થયો ગેરવહીવટ

  • અંદાજીત 6.16 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી

  • વર્ષ 2015 થી 2020 દરમિયાન થયો ગેરવહીવટ

  • મુખ્ય અધિકારીએ 45 લોકોને ફટકારી નોટિસ

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં વર્ષ 2015 થી 2020ના પાંચ વર્ષના સમયગાળામાં 14 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ ગોબાચારી આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતાં પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વીજીલન્સમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં વર્ષ 2015 થી 2020ના પાંચ વર્ષના સમયગાળામાં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ ગેરરીતિ આચરી હતી,અને સરકારની ગાઇડલાઇન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વીજિલન્સ માં ફરિયાદ કરી છે.

જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના 4 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ7 પૂર્વ મુખ્ય અધિકારીતત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યોકર્મચારીઓ સહિત 45 થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી.નોટિસમાં જણાવ્યા મુજબ નાણાપંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસકામો કરવાના બદલે ગ્રાન્ટને  અન્ય કામોમાં વાપરી નાંખી હતી.

અને આમોદ નગરનો વિકાસ કહેવાતા જન પ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો.આ ઉપરાંત સ્વભંડોળ માંથી લાઈટ બિલ,પગારડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો.જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે.

વર્ષ 2015 થી 2020ના સમયગાળા દરમિયાન પાલિકાને 14માં નાણાપંચની અંદાજીત 6.16 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓએ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાંખી ગેરવહીવટ કર્યો હતો.વર્ષ 2015 થી 2020  દરમિયાન પાલિકાના પ્રમુખોમુખ્ય અધિકારીઓકર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત 45 થી વધુ લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.