ભરૂચ: જંબુસર નગર સેવા સદનનો સપાટો,ફાયર સેફટી વગર ચાલતી શાળા સહિત કુલ 6 મિલકતો સીલ કરાય

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

New Update

ભરૂચની જંબુસર નગર સેવા સદન દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.ફાયર સેફ્ટી વિના ચાલતી એક શાળા બે હોટલ અને ત્રણ ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યા છે

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક મિલકતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે જંબુસર નગરપાલિકા દ્વારા બી. યુ.પરમિશન અને ફાયર એન.ઓ.સી. વિનાની મિલકતો સીલ કરવામાં આવી હતી. જંબુસર નગર સેવાસદન દ્વારા બ્રાઇટ લાઈન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,બસેરા ગેસ્ટ હાઉસ, સીટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ કલાઉડ હોટલે સીલ કરવામાં આવી છે. જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં શાળાઓમાં નવા શૈક્ષણિક ક્ષત્રનો પ્રારંભ થયો છે ત્યારે જંબુસરની જાણીતી શાળાને સીલ કરવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે

Read the Next Article

ભરૂચ : લુવારા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો,NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયા પાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે.

New Update

લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર

ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી

ફ્લાયઓવરથી  ખેતરમાં ભરાયા પાણી

ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત  

ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છેજેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છેછતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છેજેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.