ભરૂચ: જંબુસર નગર સેવા સદનનો સપાટો,ફાયર સેફટી વગર ચાલતી શાળા સહિત કુલ 6 મિલકતો સીલ કરાય

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

New Update

ભરૂચની જંબુસર નગર સેવા સદન દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.ફાયર સેફ્ટી વિના ચાલતી એક શાળા બે હોટલ અને ત્રણ ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યા છે

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક મિલકતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે જંબુસર નગરપાલિકા દ્વારા બી. યુ.પરમિશન અને ફાયર એન.ઓ.સી. વિનાની મિલકતો સીલ કરવામાં આવી હતી. જંબુસર નગર સેવાસદન દ્વારા બ્રાઇટ લાઈન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,બસેરા ગેસ્ટ હાઉસ, સીટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ કલાઉડ હોટલે સીલ કરવામાં આવી છે. જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં શાળાઓમાં નવા શૈક્ષણિક ક્ષત્રનો પ્રારંભ થયો છે ત્યારે જંબુસરની જાણીતી શાળાને સીલ કરવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.