ભરૂચ: JCI ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખે લીધી મુલાકાત, કામગીરીની કરી સમીક્ષા

ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • જેસીઆઈ ઇન્ડિયાના પ્રમુખે લીધી મુલાકાત

  • અંકુર જૂનજુનવાલાએ મુલાકાત લીધી

  • ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

  • આગામી કાર્યક્રમોની કરાય ચર્ચા

જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ અંકુર જુનજુનવાલાએ ભરૂચ ચેપ્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી હતી.
તેઓ ઝોન-8ના પ્રવાસ અંતર્ગત અહીં પહોંચ્યા હતા જેમાં મોડાસાથી લઈને મુંબઈ સુધીના 14 જિલ્લામાં ભરૂચ પણ સામેલ છે.જેસીઆઈ ભરૂચના 2025ના પ્રમુખ તૃપ્તિ રાઠોડ અને અંકલેશ્વરના પ્રમુખ નિમિષા મોદીના નેતૃત્વમાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં  આવ્યું હતું.ઝોન-8 ના ઝોનલ પ્રેસિડેન્ટ કિંજલ શાહ અને અન્ય ઝોન મેમ્બર્સ દ્વારા આગામી કાર્યક્રમોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.