ભરૂચ : રૂ. 30 લાખના ખર્ચે કસક સર્કલનું નવીનીકરણ કરાયું

ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા. જોકે, કેટલાક સર્કલ જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા.

New Update

વાહન વ્યવહારને નિયંત્રિત કરવા સર્કલોનું નિર્માણ

કેટલાક સર્કલ જર્જરિત બનતા નવીનીકરણ કરાશે

રૂ. 30 લાખના ખર્ચે કસક સર્કલનું નવીનીકરણ કરાયું

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સર્કલનું લોકાર્પણ કરાયું

મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો-નગરજનોની ઉપસ્થિતી

ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા. જોકેકેટલાક સર્કલ જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા. જેના નવીનીકરણ માટેની જરૂરિયાત ઉભી થઈ હતી. તેવામાં નગરપાલિકા દ્વારા ગત સામાન્ય સભાની બેઠકમાં ભરૂચ શહેરના પાંચબત્તી રેલ્વે સ્ટેશન અને કસક સર્કલના નવીનીકરણ બાબતે ઠરાવ પસાર કરાયો હતો. જેમાં પ્રથમ પાંચબત્તી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશેતે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો

ત્યારે જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ-પાનોલીના સહયોગથી રૂ. 30 લાખના ખર્ચે ભરૂચના કસક સર્કલનું નવીનીકરણ કરી જે.બી.ફાર્મા ફુવારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડન્ટ અને ઓપરેશન ગ્રુપના કુણાલ ખન્નાલેવેન્સ લેબ્સ પ્રા. લિમિટેડના ચેરમેન કમલેશ ઉદાણીભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દમણ-દીવના પ્રભારી દુષ્યંત પટેલજિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવઉપપ્રમુખ અક્ષય પટેલપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલકારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ફિરદોશ પાર્કમાં મકાનમાંથી રૂ.4.48 લાખના સોનાના દાગીનાની ચોરીના મામલામાં 1 આરોપીની ગોધરાથી કરી ધરપકડ

ભરૂચ શહેર વિસ્તારમાં ફીરદોશ પાર્ક ખાતે એક મકાનમાં ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કરી લાકડાના કબાટમાંથી રૂ.4.48 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી

New Update
scs
ભરૂચ શહેર વિસ્તારમાં ફીરદોશ પાર્ક ખાતે એક મકાનમાં ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કરી લાકડાના કબાટમાંથી રૂ.4.48 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરતા ચોરીના બનાવના CCTV એનાલીસસ કરતાં જાણવા મળ્યુ હતું કે ચોરીના મામલામાં એક ફોરવ્હીલ ગાડી તથા ત્રણ ઇસમોની સંડોવણી છે.
જેમાં ઇરફાન અબ્દુલ રહીમ ફોદા,સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ તથા મુન્નાવર મામજી હોવાનું બહાર આવ્યું હતું.આ આરોપીઓ પૈકી સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખની પોલીસે ગોધરા ખાતેથી ધરપકડ કરી હતી જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.