ભરૂચ : ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા ખેલ મહાકુંભ 3.Oનું આયોજન, આ વેબસાઇટ પર કરો પોતાનું રજીસ્ટ્રેશન...

ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જુથ મુજબ

New Update
  • ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો ઉદેશ્ય

  • રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.Oનું આયોજન કરાયું

  • ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરના ખેલાડીઓ લેશે ભાગ

  • ભાગ લેનાર ખેલાડીઓની થશે રાજ્યકક્ષા માટે પસંદગી

  • વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે અપીલ કરાય

ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જુથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે 1.40 લાખથી વધુ ખેલાડીએ ભાગ લીધો હતોઅને વિવિધ રમતોમાં રાજ્યકક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતાત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ કુલ 24 રમતો અને રાજ્યકક્ષાએ કુલ 15 રમતોનું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ 3.માટે ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા. 5 ડિસેમ્બર-2024થી શરૂ કરી તા. 25 ડિસેમ્બર-2024 સુધી ચાલશે. જેમાં કોઈપણ ખેલાડી 2 રમત કરતા વધુ રમતમાં ભાગ લઇ શકશે નહીં. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં જ ભાગ લઇ શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અં-9અં-11અં-14 અને અં-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અને કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીજિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશેત્યારે વહેલી તકે વધુમાં વધુ યુવાનો, બાળકો સહિત રમત ગમતમાં રસ ધરાવતા લોકો ખેલ મહાકુંભ 3.Oમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ભરૂચ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે અપીલ કરી છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

પોલીસને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.

New Update
khardod village murder
અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.
પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.