ભરૂચ : ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા ખેલ મહાકુંભ 3.Oનું આયોજન, આ વેબસાઇટ પર કરો પોતાનું રજીસ્ટ્રેશન...

ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જુથ મુજબ

New Update
  • ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો ઉદેશ્ય

  • રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.Oનું આયોજન કરાયું

  • ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરના ખેલાડીઓ લેશે ભાગ

  • ભાગ લેનાર ખેલાડીઓની થશે રાજ્યકક્ષા માટે પસંદગી

  • વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે અપીલ કરાય

ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જુથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે 1.40 લાખથી વધુ ખેલાડીએ ભાગ લીધો હતોઅને વિવિધ રમતોમાં રાજ્યકક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતાત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ કુલ 24 રમતો અને રાજ્યકક્ષાએ કુલ 15 રમતોનું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ 3.માટે ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટhttps://khelmahakumbh.gujarat.gov.Inપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા. 5 ડિસેમ્બર-2024થી શરૂ કરી તા. 25 ડિસેમ્બર-2024 સુધી ચાલશે. જેમાં કોઈપણ ખેલાડી 2 રમત કરતા વધુ રમતમાં ભાગ લઇ શકશે નહીં. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં જ ભાગ લઇ શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અં-9અં-11અં-14 અને અં-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અને કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીજિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશેત્યારે વહેલી તકે વધુમાં વધુ યુવાનો,બાળકો સહિત રમત ગમતમાં રસ ધરાવતા લોકો ખેલ મહાકુંભ 3.Oમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ભરૂચ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે અપીલ કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.