ભરૂચ: ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં યોજાયેલ "સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ" કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહયા હતા, આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ભરત પટેલ, હિંમત પટેલ,‌ ભુપત રામોલીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના પરિવારોને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્તોત્ર એવા મનીષ વઘાસિયા સુરત અને હાર્દિક સોરઠીયા રાજકોટ દ્વારા મોટીવેટ કરવામાં આવ્યા હતા.
#Bharuch #Gujarat #CGNews #organized #awareness program #Khodaldham Committee
Here are a few more articles:
Read the Next Article