ભરૂચ: પાલેજમાંથી નશાકારક કફ સીરપનો મોટો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી

New Update

ભરૂચની પાલેજ પોલીસે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂપિયા 75000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરી રહ્યા છે જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસને મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સીરપની 510 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલામાં જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે રૂપિયા 75,990નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કફ શિરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
હાલના સમયમાં નશાકારક કફ સીરપ અને ડ્રગ્સનુ ચલણ વધી રહ્યું છે ત્યારે તેનાથી થતી નકારાત્મક અસરો અંગે કનેક્ટ ગુજરાત દ્વારા ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ડોક્ટર નિધિ ચૌહાણએ સૌ પ્રથમ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદ  નશાકારક કફ સીરપ અને ડ્રગ્સની શરીર પર થતી નકારાત્મક અસરો અંગે માહિતી આપી હતી
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.