ભરૂચ : આર.કે.સિનેમા-ઝાડેશ્વર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા "Laugh for a Cause" કાર્યક્રમ યોજાયો...

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આર.કે. સિનેમા ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા "Laugh for a Cause" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આર.કે. સિનેમા ખાતે આયોજન

  • રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીનું વિશેષ આયોજન

  • ફંડ રેઇઝિંગ ઇવેન્ટ "Laugh for a Cause" કાર્યક્રમ યોજાયો

  • કાર્યક્રમમાં સ્ટેન્ડઅપ કોમેડિયનોએ શાનદાર પ્રસ્તુતિ આપી

  • લોકોએ રમુજી કાર્યક્રમની મજા માણવાનો અવસર માળ્યો

Advertisment

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આર.કે. સિનેમા ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા "Laugh for a Cause" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ તેના સ્થાયી પ્રોજેક્ટ્સ જેવા કેમોતીયાબિંદુ સર્જરીમહિલા સશક્તિકરણ અને શિક્ષણને સમર્થન આપવા માટે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આર.કે. સિનેમા ખાતે ફંડ રેઇઝિંગ ઇવેન્ટ "Laugh for a Cause"નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન નીતીશ શેટ્ટી અને કાનવરલાલે શાનદાર પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમમાં લગભગ 400 લોકોને રમુજી કાર્યક્રમની મજા માણી હતી. ક્લબના સભ્યોના સક્રિય સહકાર અને પ્રયાસો દ્વારા આ કાર્યક્રમ સફળ બન્યો હતો. આ પ્રસંગે PDG પરાગ શેઠરોટેરિયન મૌનેશ પટેલસચિવ કવિન પટેલઇવેન્ટ ચેરમેન ભાવિક ગણાત્રા અને સહકાર આપનાર ધ્રુવ રાજાસમીર પંડ્યાઅમિત તાપીયાવાલાસહેજાદા પઠાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment