ભરૂચ: રૂ.102 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુર્હુત

ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતુ

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

વિકાસના વિવિધ કર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત

રૂ.102 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ

મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત

12 પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુર્હુત કરાયુ

ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતુ
ગુજરાત સરકાર દ્રારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજયકક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં આગેવાનોના હસ્તે  અંદાજિત ૧૦૨.૩૦ કરોડના ખર્ચે  ૧૨ જેટલાં પ્રકલ્પોનું  લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.