ભરૂચ : 164 વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાયબ્રેરીની આગેવાનોએ લીધી મુલાકાત

ભરૂચની ઐતિહાસિક 164 વર્ષ જૂની રાયચંદ દિપચંદ લાઇબ્રેરી તરફ વાચકોને વાળવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન  દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી

New Update
  • ભરૂચમાં આવેલી છે લાયબ્રેરી

  • રાયચંદ દીપચંદ લાયબ્રેરી 164 વર્ષ જૂની

  • વાંચકોને લાયબ્રેરી તરફ વાળવા પ્રયાસ

  • યુનાઇટેડ મુસ્લિમ એસો.દ્વારા પ્રયાસ કરાયો

  • આગેવાનોએ લીધી લાયબ્રેરીની મુલાકાત

ભરૂચની ઐતિહાસિક 164 વર્ષ જૂની રાયચંદ દિપચંદ લાઇબ્રેરી તરફ વાચકોને વાળવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન  દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી
ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસો. દ્વારા લુપ્ત થતી પુસ્તક વાંચનની ટેવને ફરીથી પ્રજ્વલિત કરવાના આશયથી 164 વર્ષ જુની ઐતિહાસીક રાયચંદ દિપચંદ લાયબ્રેરીમા ટ્રસ્ટી, સભ્યો અને પ્રજાજનોને મુલાકાત માટે આમંત્રીત કરાયા હતા. લાયબ્રેરીની મેમ્બરશિપ લેવા પ્રેરિત કરવાનો અનોખો કાર્યક્રમ પ્રમુખ ઝૈનુદિદન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠણ રાખવામા આવ્યો.
ભરૂચના નામાંકીત ડોક્ટરો ડો.મિનાઝ પટેલ, ડો.મોહસીન અને ડો.શબાના પટેલ સહીત 12  વ્યક્તિઓએ મેમ્બરશિપ લઇ ફેમીલી મેમ્બર સાથે રેગ્યુલર ઐતિહાસીક પુસ્તકોના વાંચન માટે મુલાકાતનુ વચન આપ્યુ.આ પ્રસંગે લાયબ્રેરી ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઇ ચોક્સીના સુચનથી લાઇબ્રેરિયન રંજનબેન ચૌહાણ, સાથી સ્ટાફ બહેનોએ સુંદર આવકાર સાથે સહકાર આપ્યો હતી. 
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Chasvad dairy
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ  ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.