ભરૂચ : 164 વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાયબ્રેરીની આગેવાનોએ લીધી મુલાકાત

ભરૂચની ઐતિહાસિક 164 વર્ષ જૂની રાયચંદ દિપચંદ લાઇબ્રેરી તરફ વાચકોને વાળવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન  દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી

New Update
  • ભરૂચમાં આવેલી છે લાયબ્રેરી

  • રાયચંદ દીપચંદ લાયબ્રેરી 164 વર્ષ જૂની

  • વાંચકોને લાયબ્રેરી તરફ વાળવા પ્રયાસ

  • યુનાઇટેડ મુસ્લિમ એસો.દ્વારા પ્રયાસ કરાયો

  • આગેવાનોએ લીધી લાયબ્રેરીની મુલાકાત

ભરૂચની ઐતિહાસિક 164 વર્ષ જૂની રાયચંદ દિપચંદ લાઇબ્રેરી તરફ વાચકોને વાળવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન  દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી
ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસો. દ્વારા લુપ્ત થતી પુસ્તક વાંચનની ટેવને ફરીથી પ્રજ્વલિત કરવાના આશયથી 164 વર્ષ જુની ઐતિહાસીક રાયચંદ દિપચંદ લાયબ્રેરીમા ટ્રસ્ટી, સભ્યો અને પ્રજાજનોને મુલાકાત માટે આમંત્રીત કરાયા હતા. લાયબ્રેરીની મેમ્બરશિપ લેવા પ્રેરિત કરવાનો અનોખો કાર્યક્રમ પ્રમુખ ઝૈનુદિદન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠણ રાખવામા આવ્યો.
ભરૂચના નામાંકીત ડોક્ટરો ડો.મિનાઝ પટેલ, ડો.મોહસીન અને ડો.શબાના પટેલ સહીત 12  વ્યક્તિઓએ મેમ્બરશિપ લઇ ફેમીલી મેમ્બર સાથે રેગ્યુલર ઐતિહાસીક પુસ્તકોના વાંચન માટે મુલાકાતનુ વચન આપ્યુ.આ પ્રસંગે લાયબ્રેરી ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઇ ચોક્સીના સુચનથી લાઇબ્રેરિયન રંજનબેન ચૌહાણ, સાથી સ્ટાફ બહેનોએ સુંદર આવકાર સાથે સહકાર આપ્યો હતી. 
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.