ભરૂચ: આમોદના મારૂવાસમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને સ્થાનિકો ત્રાહિમામ,નગરપાલિકા કચેરી પર મચાવ્યો હલ્લો

આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં  છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.વારંવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો પ્રશ્ન

  • વોર્ડ નંબર 4માં ઉભરાતી ગટરના દ્રશ્યો

  • સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં

  • નગરપાલિકા કચેરી પર મહિલાઓનો હલ્લો

  • ચીફ ઓફિસરની પ્રશ્નના નિરાકરણની ખાતરી

ભરૂચની આમોદ નગર પાલિકાના  વોર્ડ નંબર 4માં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચની આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં  છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ નહી મળતા આજ રોજ સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલીકા કચેરીએ પહોચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.
મારુવાસમાં  ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે જેનાં કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફળિયામાં પ્રસરી જાય છે. બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાઓએ પાલીકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજુઆત કરી હતી.
આ અંગે મુખ્ય અઘિકારી પંકજ નાયકે નેશનલ હાઇવે નંબર ૬૪ પાસે ભૂગર્ભ ગટરની લાઈન ડેમેજ થઈ હોવાની કેફીયત રજૂ કરી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો અને આવનારા દિવસોમાં પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી.
Read the Next Article

ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું

New Update
  • ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે આયોજન

  • વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન

  • લોક દરબાર પણ યોજાયો

  • SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે આજરોજ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું હતું.અને પોલીસ દરબારમાં પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.
આ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ. પી.કે.રાઠોડ,ઝઘડિયા પોલીસ મથકના પી.આઈ. એન.આર.ચૌધરી,રાજપારડી પોલીસ મથકના પી.આઈ. એચ.બી.ગોહિલ  તેમજ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર અને ઉમલ્લા પોલીસ મથકના પી.આઈ.  કે.એમ.વાઘેલા  સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.