-
ભરૂચ તાલુકાના નીકોરા ગામે યોજાયા હતા અનોખા લગ્ન
-
આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન
-
સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં થઈ અભદ્ર ટિપ્પણી
-
પોલીસે ખેડા-વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી
-
જાતિવાદી ટિપ્પણીઓ બદલ આરોપી વિરુદ્ધ કડક કાર્યાવહી
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. આરોપી પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામીએ આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડિયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી.
ગત તા. 16મી ફેબ્રુઆરી-2025ના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી ગામમાં રહેતા આદિવાસી સમાજના યુવકના લગ્ન પ્રસંગ નિમિત્તે હેલિકોપ્ટર મારફતે ભરૂચ તાલુકાના નીકોરા ગામે જાન પહોચી હતી. જે લગ્ન પ્રસંગની જાનનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, ત્યારે 'બોલ સે ભરૂચ પુછશે ભરૂચ' નામના ફેસબુક પેજ પર શેર થયેલા જાનના વિડિયોની પોસ્ટમાં લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ ટિપ્પણીઓથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. સમાજના લોકોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવા સાથે વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું હતું, ત્યારે ભરૂચ એસપી મયુર ચાવડાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ સાથે જ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
LCB પીઆઈ એમ.પી.વાળા અને પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી, ત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. જેનું નામ પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જોકે, પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ : હેલિકોપ્ટર લઈને પરણવા આવેલા યુવકના વિડિયો પર અભદ્ર ટિપ્પણી કરનાર ખેડા-વસો ગામના મહંતની ધરપકડ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જાનના વિડિયોની પોસ્ટમાં લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી...
ભરૂચ તાલુકાના નીકોરા ગામે યોજાયા હતા અનોખા લગ્ન
આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન
સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં થઈ અભદ્ર ટિપ્પણી
પોલીસે ખેડા-વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી
જાતિવાદી ટિપ્પણીઓ બદલ આરોપી વિરુદ્ધ કડક કાર્યાવહી
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. આરોપી પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામીએ આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડિયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી.
ગત તા. 16મી ફેબ્રુઆરી-2025ના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી ગામમાં રહેતા આદિવાસી સમાજના યુવકના લગ્ન પ્રસંગ નિમિત્તે હેલિકોપ્ટર મારફતે ભરૂચ તાલુકાના નીકોરા ગામે જાન પહોચી હતી. જે લગ્ન પ્રસંગની જાનનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, ત્યારે 'બોલ સે ભરૂચ પુછશે ભરૂચ' નામના ફેસબુક પેજ પર શેર થયેલા જાનના વિડિયોની પોસ્ટમાં લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ ટિપ્પણીઓથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. સમાજના લોકોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવા સાથે વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું હતું, ત્યારે ભરૂચ એસપી મયુર ચાવડાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ સાથે જ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
LCB પીઆઈ એમ.પી.વાળા અને પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી, ત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. જેનું નામ પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જોકે, પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!
DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા.... ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી
ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે ગુજરાત | સમાચાર |
ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ
પર્યાવરણલક્ષી જાગૃતિ લાવવા તેમજ ૫ જૂનના ૨૦૨૫ના રોજ રાજ્ય ઉજવણી સહિત જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના આયોજન અંગે અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપવામાં આવ્યું ભરૂચ | સમાચાર
ભરૂચ: હાંસોટના કુડાદરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
કુડાદરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: વાલિયા-ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.1લી જૂને BTSની વિશાળ રેલી, રાજકારણમાં ગરમાવો
લિગનાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ લોકો ડૂબવાના મામલામાં SITનો રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ભરૂચ | સમાચાર |
અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી
ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ
ભરૂચ: હાંસોટના કુડાદરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
ઓપરેશન સિંદૂર’ બાદ દ્વારકામાં સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો, મરીન પોલીસનું જબરજસ્ત પેટ્રોલિંગ...