ભરૂચ : હેલિકોપ્ટર લઈને પરણવા આવેલા યુવકના વિડિયો પર અભદ્ર ટિપ્પણી કરનાર ખેડા-વસો ગામના મહંતની ધરપકડ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જાનના વિડિયોની પોસ્ટમાં લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી...

New Update
  • ભરૂચ તાલુકાના નીકોરા ગામે યોજાયા હતા અનોખા લગ્ન

  • આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન

  • સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં થઈ અભદ્ર ટિપ્પણી

  • પોલીસે ખેડા-વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી

  • જાતિવાદી ટિપ્પણીઓ બદલ આરોપી વિરુદ્ધ કડક કાર્યાવહી

Advertisment

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. આરોપી પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામીએ આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડિયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી.

ગત તા. 16મી ફેબ્રુઆરી-2025ના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી ગામમાં રહેતા આદિવાસી સમાજના યુવકના લગ્ન પ્રસંગ નિમિત્તે હેલિકોપ્ટર મારફતે ભરૂચ તાલુકાના નીકોરા ગામે જાન પહોચી હતી. જે લગ્ન પ્રસંગની જાનનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતોત્યારે 'બોલ સે ભરૂચ પુછશે ભરૂચનામના ફેસબુક પેજ પર શેર થયેલા જાનના વિડિયોની પોસ્ટમાં લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

આ ટિપ્પણીઓથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. સમાજના લોકોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવા સાથે વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું હતુંત્યારે ભરૂચ એસપી મયુર ચાવડાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ સાથે જ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

LCB પીઆઈ એમ.પી.વાળા અને પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતીત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. જેનું નામ પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જોકેપ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છેત્યારે હાલ તો પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment