ભરૂચ : પુણામાં રાષ્ટ્રીય સ્પર્ધામાં મિલ્ક તીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતી મારવાડી આફ્રિન ઘોડી

ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

New Update
  • મારવાડી ઘોડી આફ્રિનનો ઉત્કૃષ્ટ દેખાવ

  • પુણામાં યોજાઈ હતી અશ્વ સ્પર્ધા

  • 100 મારવાડી ઘોડાના માલિકોએ લીધો હતો ભાગ

  • આફરીને સ્પર્ધામાં મેળવ્યું ત્રીજું સ્થાન

  • ગુજરાતના અશ્વપ્રેમીઓમાં છવાઈ ખુશી   

ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ભાગ લીધો હતો.તારીખ 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી 100 મારવાડી ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો.

ભરૂચના એમ.કે.ટિમ્બરના માલિક હુસૈન ગુલામ હુસૈનવાલાની 29 મહિનાની ઘોડી આફ્રિને મિલ્ક ટીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આફ્રિન રૂબન સ્ટાર અને જાસ્મીન નામના અશ્વની સંતાન છે.તે કલાકાતાઆલિશાન અને રત્નાકર જેવા પ્રતિષ્ઠિત અશ્વની વંશજ છે. આ સફળતાથી ગુજરાત અને ભરૂચના ઘોડા પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.