ભરૂચ : પુણામાં રાષ્ટ્રીય સ્પર્ધામાં મિલ્ક તીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતી મારવાડી આફ્રિન ઘોડી

ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

New Update
  • મારવાડી ઘોડી આફ્રિનનો ઉત્કૃષ્ટ દેખાવ

  • પુણામાં યોજાઈ હતી અશ્વ સ્પર્ધા

  • 100 મારવાડી ઘોડાના માલિકોએ લીધો હતો ભાગ

  • આફરીને સ્પર્ધામાં મેળવ્યું ત્રીજું સ્થાન

  • ગુજરાતના અશ્વપ્રેમીઓમાં છવાઈ ખુશી   

Advertisment

ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ભાગ લીધો હતો.તારીખ 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી 100 મારવાડી ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો.

ભરૂચના એમ.કે.ટિમ્બરના માલિક હુસૈન ગુલામ હુસૈનવાલાની 29 મહિનાની ઘોડી આફ્રિને મિલ્ક ટીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આફ્રિન રૂબન સ્ટાર અને જાસ્મીન નામના અશ્વની સંતાન છે.તે કલાકાતાઆલિશાન અને રત્નાકર જેવા પ્રતિષ્ઠિત અશ્વની વંશજ છે. આ સફળતાથી ગુજરાત અને ભરૂચના ઘોડા પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment