ભરૂચ: પ્લેન ક્રેશની ઘટનામાં જંબુસરના MBBSના વિદ્યાર્થીનો આબાદ બચાવ, જમવા જ બેઠા હતા અને માથે મોત આવ્યુ !

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો

New Update
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મેડિકલના વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે જે બદલ તેણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો  હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો છે.
ઘટનાની ઘડીઓ યાદ કરતા ધ્રુવે જણાવ્યું કે તે સમયે તે અને તેના મિત્રો એકસાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ પાસે બેઠેલા હતા ત્યારે અચાનક એક જોરદાર અવાજ સંભળાયો અને ત્યારબાદ તાત્કાલિક ધુમાડાના ગોટેગોટા છવાય ગયા હતા. પરિસ્થિતિને સમજ્યા વગર, જીવ બચાવવાની હિમ્મત સાથે તે તરત જ ડાઇનિંગ ટેબલ નીચે છુપાઈ ગયા જ્યારે થોડો મોકો મળ્યો ત્યારે ધ્રુવે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને નજીકની સુરક્ષિત જગ્યા તરફ પહોંચી ગયા હતા.
બાદમાં આ સમગ્ર ઘટના પ્લેન ક્રેશની હોવાનું બહાર આવ્યું હતુ.ધ્રુવે પોતાનો જીવ બચાવવાને ભગવાનની કૃપા ગણાવતાં પોતાના સ્નેહી મિત્રોનો આ દુર્ઘટનામાં જીવ ગુમાવવાથી ઘેરો શોક વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.