ભરૂચ: પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, નાગરિકોની સુરક્ષા માટે

New Update
  • ભરૂચમાં કરાયુ આયોજન

  • એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન

  • મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ

  • પોલીસકર્મીઓ અને પરિવારજનોએ લીધો લાભ

  • પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
નાગરિકોની સુરક્ષા માટે હરહંમેશ ખડેપગે તૈનાત રહેતા પોલીસકર્મીઓના પણ આરોગ્યની તપાસ થાય તે હેતુસર ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનેરી મહેલ સ્થિત પોલીસ મથક ખાતે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પનો ૮૯ જેટલા પોલીસકર્મીઓએ લાભ લીધો હતો.જેમાં બ્લડ અને યુરિનની તપાસ કરવામાં આવી હતી.આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ ગદરિયા  સહિતના અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો પોલીસકર્મીઓના પરિવારજનોએ પણ લાભ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.