ભરૂચ : ગરમીના પ્રકોપથી હવામાન વિભાગે જાહેર કર્યું “રેડ એલર્ટ”, સાવચેતી રાખવા તબીબોનો અનુરોધ...

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

New Update
  • રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો

  • હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

  • 7થી 10 એપ્રિલ દરમિયાન જાહેર કર્યું એલર્ટ

  • રાજ્યમાં ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર

  • અસહ્ય ગરમીને પગલે જનજીવન અસ્તવ્યસ્ત

  • પાણી વધુ પ્રમાણમાં પીવા માટે અનુરોધ કરતા તબીબ

  • ગરમીના પ્રકોપથી બચવા તબીબોની સલાહ

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દરમિયાનહવામાન વિભાગે રાજ્યમાં 7 થી 10 એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે.આ ઉપરાંત કેટલાક શહેરો માટે ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે ગરમીના પ્રકોપથી બચવા માટે તબીબોએ જરૂરી સૂચનો કર્યા છે.

ઉનાળાની શરૂઆતથી જ ગરમીએ તેનો આકરો મિજાજ બતાવ્યો છે.એપ્રિલ મહિનાનાં પ્રથમ તબક્કામાં જ રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે.હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગે 7 એપ્રિલે કચ્છમાં હીટવેવના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબીરાજકોટ અને પોરબંદરમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાબનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધુમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે.

તારીખ 7થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના 9 જિલ્લામાં ગરમી તેનો આકરો મિજાજ બતાવશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બીજી તરફ ભરૂચની  જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લોકોને ગરમી સામે રક્ષણ માટે જરૂરી સુચન કરવામાં આવ્યું છે,અને ઘરની બહાર જતી વેળાએ પોતાની સાથે પાણીની બોટલ સાથે રાખવા તેમજ વધુ પ્રમાણમાં પાણી પીવા માટેની સલાહ આપવામાં આવી છે.

 

Read the Next Article

ભરૂચ: વાલિયા SBI બ્રાન્ચના પૂર્વ મેનેજરની પોલીસે કરી ધરપકડ, રૂ.21.57 લાખની ઉચાપત અંગે નોંધાય હતી ફરિયાદ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

New Update
SBI Branch Manager
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલિયામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ મેનેજર દ્વારા જ ખાતેદારોના રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે હાલના બ્રાન્ચ મેનેજર શૈલેન્દ્ર કરવાએ વાલિયા પોલીસ મથકમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પૂર્વ મેનેજરે ખાતેદારોની સંમતિ વગર ખોટી સહી, ઇમેલ અને ખોટા વાઉચર બનાવી ખાતેદારોના ખાતામાંથી રૂપિયા 93.58 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા ત્યારબાદ 72 લાખ સમયાંતરે પરત ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે રૂપિયા 21.57 લાખની ઉચાપત કરવામાં આવી હતી.વાલિયા પોલીસે પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.