ભરૂચ: આમોદ પંથકમાં મીની વાવાઝોડુ ફુંકાયું, મકાનોના પતરા ઉડયા

આમોદના પૂરસા ગામે ફૂંકાયેલ ભારે પવનના કારણે મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા સાથે જ ઘરવખરીને પણ નુકશાન થયું

New Update

ભરૂચના આમોદમાં વરસાદના કારણે તારાજી

ભારે પવન સાથે વરસ્યો વરસાદ

મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ

મકાનોના પતરા ઉડી ગયા

ખેતીના પાકને પણ વ્યાપક નુકશાન

ભરૂચના આમોદ પંથકમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કાચા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા ભરૂચના આમોદ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આમોદ પંથકમાં ગત રોજ સાંજના સમયે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
આમોદના પૂરસા ગામે ફૂંકાયેલ ભારે પવનના કારણે મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા સાથે જ ઘરવખરીને પણ નુકશાન થયું હતું. તો બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે વસેલા વરસાદમાં વીજળી પડતા દાઝી જવાથી જિલ્લામાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હવે પાછોતરો વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.