ભરૂચ: આમોદ પંથકમાં મીની વાવાઝોડુ ફુંકાયું, મકાનોના પતરા ઉડયા

આમોદના પૂરસા ગામે ફૂંકાયેલ ભારે પવનના કારણે મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા સાથે જ ઘરવખરીને પણ નુકશાન થયું

New Update

ભરૂચના આમોદમાં વરસાદના કારણે તારાજી

ભારે પવન સાથે વરસ્યો વરસાદ

મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ

મકાનોના પતરા ઉડી ગયા

ખેતીના પાકને પણ વ્યાપક નુકશાન

ભરૂચના આમોદ પંથકમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કાચા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા ભરૂચના આમોદ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આમોદ પંથકમાં ગત રોજ સાંજના સમયે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
આમોદના પૂરસા ગામે ફૂંકાયેલ ભારે પવનના કારણે મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા સાથે જ ઘરવખરીને પણ નુકશાન થયું હતું. તો બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે વસેલા વરસાદમાં વીજળી પડતા દાઝી જવાથી જિલ્લામાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હવે પાછોતરો વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 4 આરોપીઓની ધરપકડ

  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

  • કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

  • થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના  કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસ છે તપાસનો ધમમાટ  શરૂ કર્યો છે.