ભરૂચ : રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સુધી નવા રોડના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત, સ્થાનિકોમાં ખુશીનો માહોલ...

ભરૂચ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નં. 8માં અડધા કરોડના ખર્ચે PCC સાથે CC રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. 8માં વિકાસ કાર્યને વેગ

  • રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સુધી નવા રોડનું કરાશે નિર્માણ

  • પાલિકા દ્વારા રૂ. 50 લાખના ખર્ચેPCC-CC રોડનું નિર્માણ કરાશે

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું ખાતમહુર્ત.

  • નવા રોડના કામથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

ભરૂચ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નં. 8માં અડધા કરોડના ખર્ચેPCC સાથેCC રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 8માં રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથીPCC સાથેCC રોડ બનાવવા માટેના કામનું આકાશગંગા સોસાયટી નજીક ખાતમુર્હુત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું હતું કેરોડની સાથે સાથે ગટર લાઈન તેમજ પાણીની લાઈનની કામગીરી પણ કરવામાં આવશેજેથી આ રોડને નુકશાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોક ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવઉપપ્રમુખ અક્ષય પટેલકારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિસ્થાનિક નગરસેવક ધનજી ગોહિલપ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે