મનસુખ વસાવાનો લેટર બોમ્બ સૂચના અને પ્રસારણ મંત્રીને પત્ર લખી સોશિયલ મીડિયા પર અશ્લીલ અને વિકૃત પોસ્ટ પર નિયંત્રણની કરી માંગ

OTT ના માધ્યમથી લોકો વેબ સિરીઝ સહિતનું મનોરંજન મેળવતા હોય છે,પરંતુ સોશિયલ પ્લેટફોર્મના વધી રહેલા વ્યાપની બીજી બાજુ અશ્લીલ અને વિકૃત સામગ્રીઓ પણ વધુ પીરસાય રહી છે

author-image
By Connect Gujarat Desk
New Update
Mansukh Vasava Write Lettar To Ashvini Vaishnaw
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રીને એક પત્ર લખ્યો છે,જેમાં તેઓએ માંગ કરી છે કે OTT અને સોશિયલ મીડિયામાં વધી રહેલા વિકૃતિના દુષણ સામે તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે.
ડિજિટલ યુગમાં દિન પ્રતિદિન સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે,તો બીજી તરફ OTT ના માધ્યમથી લોકો વેબ સિરીઝ સહિતનું મનોરંજન મેળવતા હોય છે,પરંતુ સોશિયલ પ્લેટફોર્મના વધી રહેલા વ્યાપની બીજી બાજુ અશ્લીલ અને વિકૃત સામગ્રીઓ પણ વધુ પીરસાય રહી છે, જે અંગે ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે,અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર લખ્યો છે..

મનસુખ વસાવાએ અશ્વિની વૈષ્ણવ લખેલ પત્ર:-

Mansukh Vasava Write Lettar

પત્રમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ અને વિકૃત સામગ્રીના પ્રસારણથી આપણા રાષ્ટ્રની સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો પર અસર પડવાના કારણે સમાજ ના પવિત્ર સંબંધો અને પરિવાર પ્રણાલીને કમજોર બનાવી રહી છે,વધુમાં તેઓએ જણાવ્યું છે કે B.N.S. એક્ટ ,મહિલાઓ ના અભદ્ર પ્રતિનિધિત્વ અધિનિયમ અને IT એક્ટમાં સંશોધન કરીને તાત્કાલિક નક્કર પગલાં લઈને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.  
Latest Stories