ભરૂચ: કંથારીયાના મુફ્તીએ હિન્દૂ ગ્રંથો અને ગૌ માંસ અંગે આપત્તિજનક પમફ્લેટ છપાવ્યા,પોલીસે કરી ધરપકડ

પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પત્રિકામાં ગૌમાંસ અને હિંદુઓના ગ્રંથોને તોડી મચોડી આપત્તીજનક ઉલ્લેખ કરાયો હતો

New Update
ભરૂચના  કંથારીયાના મુફ્તીએ ગૌમાંસ અને હિંદુ ગ્રંથો બાબતે આપત્તિજનક  પેમ્ફ્લેટ છપાવ્યા હતા આ મામલામાં પોલીસે મુફ્તીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કોમી સંવેદનશીલ એવા ભરૂચમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના અને શાંતિ ડહોળવાના પ્રયાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં કંથારીયા ગામનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વહેંચવા નીકળ્યો હતો. આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાવનારું લખાણ લખવામાં આવ્યું હતું.
જેમાં ગૌમાંસ અને હિંદુઓના ગ્રંથોને તોડી મચોડી આપત્તીજનક ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ પત્રિકા કોમી રમખાણોનું કારણ બને તે પૂર્વે અબ્દુલ અઝીઝ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વિવાદાસ્પદ પત્રિકાઓ કબ્જે કરી લીધી છે. અબ્દુલ અઝીઝના રિમાન્ડ મેળવી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.