ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાય, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા કેમ્પસ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
brc manubar

ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા કેમ્પસ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 એમ.એમ.એમ.સી.ટી. સંચાલિત હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળાઅલીફ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક વિભાગમુનીર મુન્શી માધ્યમિક વિભાગના ધોરણ  6થી 12ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં વી.સી.ટી. હાયર સેકન્ડરી વિભાગનાં શિક્ષકો દિવાન ફીરદોશબેન તેમજ મુન્શી આરીફાબેન નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતી માધ્યમના હેડ મન્સુરી આસીફ સરે ઉપસ્થિત રહી સ્પર્ધકોમાં ઉત્સાહ જાગૃત કર્યો હતો. શાળાના આચાર્યા મેહફૂજાબેન દ્વારા સ્પર્ધામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગમાંથી સાલેહ આલિયામાધ્યમિક વિભાગમાંથી હાદિયા ઇર્શાદ તથા ઞુજરાતી માધ્યમિક વિભાગમાંથી માનુવાલા સહલ અને માસ્તર સાહિલપ્રાથમિક વિભાગમાંથી પટેલ યુસુફ જેઓએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પટેલ રૂબીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.