ભરૂચ:મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બાલવાડીઓમાં ફરજ બજાવતા શિક્ષિકાઓ અને સેવિકાનું સન્માન કરાયુ

ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આયોજન

  • શિક્ષિકાઓ અને સેવીકાઓનું સન્માન કરાયુ

  • મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચના મુન્શી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત દશ બાલવાડીઓમા સતત પંદર વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનુ શિક્ષણ આપનાર કર્તવ્ય પરાયણ અઢાર શિક્ષિકા અને દશ સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ ઝૈનુદિદન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસે યોજાયો હતો.આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના રીજીયનલ મેનેજર રવિશકુમાર સિન્હા, SBI ભરૂચના બ્રાંચ મેનેજર દિનેશસિંગ સિસોદિયા અને  સી.એ.તસનીમ કાવિવાલા ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોના હસ્તે શિક્ષિકાઓ અને સેવિકા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.