ભરૂચ:મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બાલવાડીઓમાં ફરજ બજાવતા શિક્ષિકાઓ અને સેવિકાનું સન્માન કરાયુ

ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આયોજન

  • શિક્ષિકાઓ અને સેવીકાઓનું સન્માન કરાયુ

  • મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચના મુન્શી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત દશ બાલવાડીઓમા સતત પંદર વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનુ શિક્ષણ આપનાર કર્તવ્ય પરાયણ અઢાર શિક્ષિકા અને દશ સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ ઝૈનુદિદન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસે યોજાયો હતો.આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના રીજીયનલ મેનેજર રવિશકુમાર સિન્હા, SBI ભરૂચના બ્રાંચ મેનેજર દિનેશસિંગ સિસોદિયા અને  સી.એ.તસનીમ કાવિવાલા ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોના હસ્તે શિક્ષિકાઓ અને સેવિકા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું
Read the Next Article

ભરૂચ: ઐતિહાસિક રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત, સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો

ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડયુલ વનમાં આવતા દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે.

New Update
  • ભરૂચમાં આવેલું છે ઐતિહાસિક રતન તળાવ

  • રતન તળાવમાં કાચબાનું મોત

  • દુર્લભ પ્રજાતીના કાચબાનું મોત નિપજ્યું

  • સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

  • તળાવની સાફ-સફાઈ કરવાની માંગ

ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં વધુ એક કાચબા નું મોત નીપજ્યું છે ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો
ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડયુલ વનમાં આવતા દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે. વર્ષોથી આ તળાવમાં અનેક કાચબાઓ અને જળજીવો વસવાટ કરી રહ્યા છે. પરંતુ તળાવની દયનીય સ્થિતિ અને નગરપાલિકા દ્વારા સતત અવગણનના કારણે વનજીવન પર સંકટ ઊભું થયું છે.સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર સમક્ષ તળાવની સફાઈ અને જળસંગ્રહની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરી હતી.છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે