ભરૂચ: ન.પા.એ ખુલ્લી ગટરમાં તણાય ગયેલ યુવાનના પરિવારજનોને સહાયની કરી જાહેરાત

મનોજ સોલંકી નામના યુવાનનું મોત નિપજ્યું હતું.વરસાદી પાણી ભરાઈ જતા ગટર ખુલ્લી હોવાનો અંદાજ ન રહેતા યુવાન ગટરમાં ખાબક્યો હતો અને તેમાં તણાઈ જવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું

author-image
By Connect Gujarat
New Update
ભરૂચમાં ખુલ્લી ગટરમાં તણાઈ જતા યુવાનના મોતની ઘટનામાં નગર સેવા સદન દ્વારા તેના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. 
ભરૂચમાં વરસતા વરસાદ વચ્ચે ખુલ્લી ગટરમાં પડી જતા મનોજ સોલંકી નામના યુવાનનું મોત નિપજ્યું હતું.વરસાદી પાણી ભરાઈ જતા ગટર ખુલ્લી હોવાનો અંદાજ ન રહેતા યુવાન ગટરમાં ખાબક્યો હતો અને તેમાં તણાઈ જવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું. બીજા દિવસે તેનો.મૃતદેહ મળી આવ્યો હતો
આ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.ખુલ્લી ગટર બંધ કરવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકો અને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજરોજ સ્થાનિક આગેવાનો અને વિપક્ષના સભ્યોએ નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કર્યો હતો અને મૃતકના પરિવારજનોને સહાય કરવાની માંગ કરી હતી. લગભગ અઢી થી ત્રણ કલાક સુધી ચાલેલા પ્રદર્શન બાદ  નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
જેમાં મૃતકના પત્નીને નગર સેવાસદનમાં કાયમી નોકરી અને સાથે જ પરિવારજનોની વિવિધ સરકારી સહાય મળી રૂપિયા 20 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
આ તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ નગરસેવા સદન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને આવકારવામાં આવી છે પરંતુ સાથે જ આ ઘટના પાછળ જે પણ જવાબદાર અધિકારી કર્મચારી હોય તેની સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે..
યુવકના મોત બાદ નગર સેવાસદને સહાયની જાહેરાત તો કરી દીધી છે પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો મોતના કુવા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વહેલી તકે આ તમામ ખુલ્લી ગટરો બંધ કરાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે
Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.