ભરૂચ: જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી,ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા વધારવા કરાય ચર્ચા

રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને કારોબારી ચેરમેન  ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા

New Update
  • આજે તારીખ 24મી એપ્રિલ

  • રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ

  • જિલ્લા પંચાયત ખાતે કરાય ઉજવણી

  • પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા રહ્યા ઉપસ્થિત

  • ગ્રામપંચાયતના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત 

ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને કારોબારી ચેરમેન  ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સ્થિર અને સુલભ બનાવવાની દિશામાં પગલાં લેવા, પીવાના પાણીની સુવિધા, સફાઈ અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અંગે  ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ તથા ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: સ્વરછતા સર્વેક્ષણમાં નગર સેવા સદનની મોટી છલાંગ, 63 પરથી 13મો ક્રમ હાંસલ કર્યો

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો

New Update
  • સ્વરછતા સર્વેક્ષણના પરિણામ જાહેર

  • અંકલેશ્વર નગર સેવા સદનનો સારો દેખાવ

  • સમગ્ર દેશમાં 13મો ક્રમ હાંસલ કર્યો

  • ગતવર્ષે 63માં ક્રમે રહી હતી

  • વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરાય

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અંકલેશ્વર નગર સેવાસદનનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે ગત વર્ષે તેને 63માં ક્રમે રહેલી નગરપાલિકાએ આ વર્ષે સમગ્ર રાજ્યમાં 13મો ક્રમ હાંસલ કર્યો છે.
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો છે. ગત વર્ષે અંકલેશ્વર નગર સેવાસદનનો સમગ્ર રાજ્યમાં 63 મો ક્રમ હતો જોકે તેમાં સુધારો થઈને આ વખતે 13 મો ક્રમ પ્રાપ્ત થયો છે.અંકલેશ્વર નગર સેવા સદનને ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્ટાર મેળવ્યો છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં અંક્લેશ્વરને 12,500માંથી 9,792 ગુણ પ્રાપ્ત થયાં છે.
દક્ષિણ ગુજરાતમાં 3 ગાર્બેજ ફ્રી સીટી પૈકી અંકલેશ્વરનો પણ સમાવેશ થયો છે.ભીના અને સુકા કચરાના નિકાલના મામલે પણ અંકલેશ્વર નગર સેવા સદનને 45 ટકા ગુણ મળ્યા છે.આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના વિવિધ માપદંડો સુધી પહોંચવા માટે સમયાંતરે  જનજાગૃતિ કાર્યક્રમો સાથે ટેક્નિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જાહેરમાર્ગો પર સફાઈ અને સ્વરછતા અંગે લોકોની પણ સહભાગીતાના કારણે આટલી સફળતા પ્રાપ્ત થઈ છે.