ભરૂચ: નારાયણ કુંજ વિહાર સોસા.માં નવરાત્રી પર્વની ઉજવણી, મહાનુભાવોએ આરતી ઉતારવાનો લીધો લ્હાવો

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો તો સાથે જ ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા

New Update

ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી

નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં ઉજવણીનું આયોજન

મહાનુભાવોએ આરતી ઉતારવાનો લીધો લ્હાવો

ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા

માતાજીની કરાય આરાધના

 
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચની વિવિધ સોસાયટીઓ અને શેરીઓમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં પાંચમના નોરતે મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરમલ પારિક અને તેમના ધર્મપત્નિ લીનાબહેન પારિકે વિશેષ ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરતી ઉતારી હતી. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા, ઉપપ્રમુખ મહેન્દ્ર પરમાર, મંત્રી મફતભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, મોનાબહેન પટેલ, શીતલબહેન પટેલ અને રીંકુબહેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
Latest Stories