ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધનું જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું

નર્મદામૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતનાં બનાવ ન બને તે માટે

New Update
નર્મદા મૈયા બ્રિજ
નર્મદામૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતનાં બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રિજ ઉપરથી તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવરજવર પર તા.૦૫/૧૧/૨૦૨૪ નાં રોજ ૦૦:૦૦ કલાક થી ૦૩ (ત્રણ) માસ માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામાં મુજબ તા. ૫/૧૧/૨૦૨૪ ના રોજ ૦૦.૦૦ કલાક થી તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ ૨૪.૦૦ કલાક સુધીનાં સમય માટે ભારે વાહનો માટે  પ્રતિબંધ રહેશે