ભરૂચ:અહો આશ્ચર્ય! માત્ર છ વર્ષના બાળકની પવન શલીલા માઁ નર્મદાની સાહસિક પરિક્રમા

નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે

New Update

પાવન શલીલા માઁ નર્મદા પરિક્રમાનું છે અનેરૂ મહત્વ

શ્રદ્ધાળુઓ કરે છે શ્રધ્ધાભેર કપરી પરિક્રમા

MPના પરિવાર સાથે 6 વર્ષનો બાળક પણ પરિક્રમામાં જોડાયો

દાદા દાદી સાથે જોડાયો બાળ પરિક્રમાવાસી

સાહસિક પરિક્રમા કરતા બાળકે દર્શાવી અનેરી તાજગી

નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે. પણ માઁ નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય  છે.25 દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા હતા.

નર્મદા પરિક્રમાનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે.ત્યારે પ્રતિ વર્ષ તેના શ્રદ્ધાળુમાં વધારો થઇ રહ્યો છે. પગપાળા  નર્મદા પરિક્રમા કઠિન છે. માર્ગ પણ કઠિન અને જંગલમાંથી પણ પસાર થવું પડે છે .પણ માઁ નર્મદાનું સ્મરણ કરતાં તમામ કઠિનાઈ દૂર થાય છે.ખાસ કરીને  યુવાન અને વૃદ્ધો તથા  વૃદ્ધ મહિલા પગપાળા નર્મદા પરિક્રમા કરતા હોય છે. આજે આ પરિક્રમામાં નાના બાળકો પણ પગપાળા માઁ નર્મદાનો સાક્ષાત્કાર કરવા નીકળ્યા છે. બાળ પરિક્રમાવાસી નર્મદે હર ના જાપ સાથે માઁ નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે.

મધ્યપ્રદેશના પ્રિતનગરનો ધોરણ એકમાં અભ્યાસ કરતો 6 વર્ષીય નયન વર્મા એ પણ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી આ વાત દાદા દાદીને જણાવતા તેઓ પણ નવાઈ પામ્યા હતા,અને 6 વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે,જો કે નયનની માઁ  નર્મદાજીની ભક્તિ આગળ નમીને તેને સ્કૂલમાંથી રજાની મંજૂરી મેળવવાનું જણાવતા તેણે શાળામાં પોતાના શિક્ષકને નર્મદા પરિક્રમામાં જવાનું જણાવતા તેના શિક્ષક પણ આશ્ચર્યમાં પડી ગયા હતા,જોકે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા નયનને રજા આપી હતીઅને આ બાળ પરિક્ર્માવાસી નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા માઁ નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે.

ત્યારે 6 વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો.તેઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર નર્મદે હરના જાપ સાથે પસાર થઇ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યા હતા અને રામ કુંડ ખાતે  રોકાણ કરી  પ્રથમ ચરણના અંત ભાગ સુધી રવાના થયા હતા. ત્યારે દાદા-દાદી માટે શ્રવણ કુમાર બનેલા આ બાળ ભક્તોના માતા-પિતા પણ ધન્ય છે કે તેઓ બાળકોને આ આધ્યાત્મિક યાત્રા પર મોકલ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.