ભરૂચ:અહો આશ્ચર્ય! માત્ર છ વર્ષના બાળકની પવન શલીલા માઁ નર્મદાની સાહસિક પરિક્રમા

નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે

New Update

પાવન શલીલા માઁ નર્મદા પરિક્રમાનું છે અનેરૂ મહત્વ

Advertisment

શ્રદ્ધાળુઓ કરે છે શ્રધ્ધાભેર કપરી પરિક્રમા

MPના પરિવાર સાથે 6 વર્ષનો બાળક પણ પરિક્રમામાં જોડાયો

દાદા દાદી સાથે જોડાયો બાળ પરિક્રમાવાસી

સાહસિક પરિક્રમા કરતા બાળકે દર્શાવી અનેરી તાજગી

નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે. પણ માઁ નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય  છે.25 દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા હતા.

નર્મદા પરિક્રમાનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે.ત્યારે પ્રતિ વર્ષ તેના શ્રદ્ધાળુમાં વધારો થઇ રહ્યો છે. પગપાળા  નર્મદા પરિક્રમા કઠિન છે. માર્ગ પણ કઠિન અને જંગલમાંથી પણ પસાર થવું પડે છે .પણ માઁ નર્મદાનું સ્મરણ કરતાં તમામ કઠિનાઈ દૂર થાય છે.ખાસ કરીને  યુવાન અને વૃદ્ધો તથા  વૃદ્ધ મહિલા પગપાળા નર્મદા પરિક્રમા કરતા હોય છે. આજે આ પરિક્રમામાં નાના બાળકો પણ પગપાળા માઁ નર્મદાનો સાક્ષાત્કાર કરવા નીકળ્યા છે. બાળ પરિક્રમાવાસી નર્મદે હર ના જાપ સાથે માઁ નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે.

Advertisment

મધ્યપ્રદેશના પ્રિતનગરનો ધોરણ એકમાં અભ્યાસ કરતો 6 વર્ષીય નયન વર્મા એ પણ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી આ વાત દાદા દાદીને જણાવતા તેઓ પણ નવાઈ પામ્યા હતા,અને 6 વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે,જો કે નયનની માઁ  નર્મદાજીની ભક્તિ આગળ નમીને તેને સ્કૂલમાંથી રજાની મંજૂરી મેળવવાનું જણાવતા તેણે શાળામાં પોતાના શિક્ષકને નર્મદા પરિક્રમામાં જવાનું જણાવતા તેના શિક્ષક પણ આશ્ચર્યમાં પડી ગયા હતા,જોકે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા નયનને રજા આપી હતીઅને આ બાળ પરિક્ર્માવાસી નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા માઁ નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે.

ત્યારે 6 વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો.તેઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર નર્મદે હરના જાપ સાથે પસાર થઇ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યા હતા અને રામ કુંડ ખાતે  રોકાણ કરી  પ્રથમ ચરણના અંત ભાગ સુધી રવાના થયા હતા. ત્યારે દાદા-દાદી માટે શ્રવણ કુમાર બનેલા આ બાળ ભક્તોના માતા-પિતા પણ ધન્ય છે કે તેઓ બાળકોને આ આધ્યાત્મિક યાત્રા પર મોકલ્યા છે.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ઉટિયાદરા ગામેથી રૂ.3 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા

New Update
અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ બે આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગત તારીખ-3જી મેના રોજ કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.06 લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો.
જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ ઝનોર ગામના સોનેરી ટેકરીમાં રહેતો શશીકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફુર જીતુ જોશીને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ગુજરાતમાં વસતા બિહારી સમાજને NDA તરફ વાળવા પ્રયાસ, ભાજપે મુલાકાતોનો દૌર શરૂ કર્યો !

બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી

New Update
  • બિહાર વિદ્યાસભાની ચૂંટણીની તૈયારી

  • અંકલેશ્વરમાં ભાજપની બેઠક યોજાઇ

  • બિહારના MP ધર્મશીલા ગુપ્તા રહ્યા ઉપસ્થિત

  • બિહારીઓને NDA તરફી મતદાન કરવા અપીલ કરાય

  • NDAની પ્રચંડ જીતનો દાવો કરાયો

Advertisment
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બિહાર રાજ્ય સભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્તાએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી હતી.
અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે તેઓએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે અન્ય ભાષાભાસી સેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અશોક ઝા,પપ્પુ સિંગ, અને અનિલ શુકલા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આર.જે.ડી.નું ખાતું પણ નહીં ખુલે એવો હુંકાર કર્યો હતો અને એન.ડી.એ.ની પ્રચંડ જીતનો દાવો કર્યો હતો.
Advertisment