ભરૂચ: શહીદ દિવસ નિમિત્તે ભાજપના યુવા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલી નિકળી,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના ઝાડેશ્વર સ્થિત સાઇ મંદિરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • આજે તારીખ 23મી માર્ચ

  • શહીદ દિન નિમિત્તે કાર્યક્રમો યોજાયા

  • ભરૂચમાં યુવા ભાજપ દ્વારા આયોજન

  • વિશાળ બાઈક રેલીનું કરાયુ આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે રેલી સહિતના કાર્યક્રમો થકી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના ઝાડેશ્વર સ્થિત સાઇ મંદિરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી સાઈ મંદિરેથી નીકળી તુલસીધામ ,જ્યોતિનગર,કસક સર્કલ,સ્ટેશન પાંચબત્તી થઈ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, યુવા મોરચાના  પ્રમુખ રૂષભ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાઈ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.