ભરૂચ: આજે ઓરેંજ એલર્ટ, નેત્રંગ સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નેત્રંગમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો

New Update
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ
સૌથી વધુ નેત્રંગમાં 7.5ઇંચ વરસાદ
અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી
આજે પણ વરસાદનું ઓરેંજ એલર્ટ

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વરસાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.સૌથી વધુ નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો.  જેના પગલે જળબમ્બાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું હતું.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા પર આંકડા પર નજર કરીએ તો જંબુસર 4મી.મી.આમોદ  8 મી.મી.વાગરા 13  મી.મી.ભરૂચ 15 મી.મી.ઝઘડિયા 12મી.મી.અંકલેશ્વર 12 મી.મી.હાંસોટ 1 ઇંચ,વાલિયા 15 મી.મી.અને નેત્રંગમાં 7.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો.આજે પણ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે વિવિધ તાલુકાઓમાં ભારતીય અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે

Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.