ભરૂચ: ઝાડેશ્વરની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વાલીઓનો હોબાળો, શાળા સંચાલકોને કરાય રજુઆત

વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.

New Update
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા

  • સંસ્કાર વિદ્યાભવન શાળાનો વધુ એક વિવાદ

  • સ્કૂલ વાહનોને અડધો કી.મી.દૂર ઉભા રખાય છે

  • સ્કૂલમાંથી જ નાસ્તા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ

  • શાળા સંચાલકોએ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે. તાજેતરમાં જ જિલ્લાશિક્ષણાધિકારીએ શાળાને લોગો વાળી બુકના વેચાણ મામલે નોટીસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજુઆત કરી હતી.વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.
આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડુલ થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે. તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી
અંગે શાળાના આચાર્ય શૈલજા સિંગે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે.આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.