ભરૂચ: વાલિયા શિક્ષક દંપત્તિના ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજાની માંગ સાથે મામલતદારને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.

New Update
  • ભરૂચના વાલિયામાં બન્યો હતો ચકચારી બનાવ

  • શિક્ષક દંપત્તિની કરવામાં આવી હતી હત્યા

  • જમાઈએ જ સાસુ સસરાની કરી હતી હત્યા

  • આરોપીને કડક સજાની કરવામાં આવી માંગ

  • મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
રાજપૂત યુવા સંઘ વાલિયા તાલુકા અને અન્ય સમાજ દ્વારા ભરૂચની વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-5મી માર્ચના રોજ વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મમ ઘાતકી હત્યા કરવામાં આવી હતી.જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આરોપી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી  પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી.આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક દંપત્તિના જમાઈએ જ દેવુ વધી જતાં સાસુ સસરાના મકાનમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.