ભરૂચ: વાલિયા શિક્ષક દંપત્તિના ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજાની માંગ સાથે મામલતદારને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.

New Update
  • ભરૂચના વાલિયામાં બન્યો હતો ચકચારી બનાવ

  • શિક્ષક દંપત્તિની કરવામાં આવી હતી હત્યા

  • જમાઈએ જ સાસુ સસરાની કરી હતી હત્યા

  • આરોપીને કડક સજાની કરવામાં આવી માંગ

  • મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
રાજપૂત યુવા સંઘ વાલિયા તાલુકા અને અન્ય સમાજ દ્વારા ભરૂચની વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-5મી માર્ચના રોજ વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મમ ઘાતકી હત્યા કરવામાં આવી હતી.જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આરોપી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી  પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી.આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક દંપત્તિના જમાઈએ જ દેવુ વધી જતાં સાસુ સસરાના મકાનમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો
Read the Next Article

અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી ઉમરવાડા ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, 100થી વધુ બાળકોને લાભ અપાયો...

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે આયોજન કરાયું

  • પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલનો સહયોગ

  • ચેતના કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ

  • બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરાયું

  • મેડિકલ ચેકઅપ કેમ્પનો 100થી વધુ બાળકોને લાભ મળ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ પરિવારના બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત પ્રયાસોથી ઘોડિયા ઘરમાં નાના બાળકો માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન અંકલેશ્વરની ABC બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. તુષાર સાવલિયા અને ડો. રિદ્ધિ સેલડીયાએ પોતાની સેવાઓ આપી હતી. જેમાં 2થી 6 વર્ષ સુધીના બાળકોનું વજન, ઊંચાઈ સહિત તેઓના આરોગ્યની યોગ્ય તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સદર મેડિકલ ચેકઅપ કેમ્પનો 100થી વધુ પરિવારના બાળકોને લાભ મળ્યો હતો.
આ પ્રસંગે પ્રોલાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, વી.કે.પટેલ, ઉમરવાડા ગામના સરપંચ ઈમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર બાબુ વકીલ, ચેતના કેન્દ્ર-ઉમરવાડાના ફિલ્ડ કોર્ડીંનેટર ફાલ્ગુની સિંધા, મહિલા મોરચાના પ્રમુખ ફેમિદા ગંઘાટ, સંજાલી તાલુકા પંચાયતના સભ્ય સુરેખા વસાવા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ચેકઅપ કેમ્પના સફળ આયોજન બદલ ગ્રામજનોએ પ્રોલાઈફ ફાઉન્ડેશન, ચેતના કેન્દ્ર-ઉમરવાડા તેમજ ABC બેબી કેર હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.