ભરૂચ: ગુજરાત પોલીસમાં 12,472 જગ્યા માટે શારીરિક કસોટી શરૂ,કડકડતી ઠંડીમાં યુવાનોએ કૌવત દર્શાવ્યું

ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષા શરૂ કરવામાં આવી છે,જે અંતર્ગત ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો.

New Update
  • ગુજરાત પોલીસમાં 12,472 જગ્યા માટે ભરતી પ્રક્રિયા

  • રાજ્યમાં 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી શરૂ

  • ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની ભીડ 

  • SPની હાજરીમાં શારીરિક કસોટીની કરાઈ શરૂઆત

  • કડકડતી ઠંડીમાં ઉમેદવારોએ કૌવત બતાવ્યું 

ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષા શરૂ કરવામાં આવી છે,જે અંતર્ગત ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો.

ગુજરાત પોલીસમાં 12,472 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં 15 અલગ અલગ ગ્રાઉન્ડ પર આજરોજ તારીખ 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે.અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટસમાં આવેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન,દોડ,ઊંચાઈ,વજન,છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારોએ આપી હતી.

આ ઉપરાંત પોલીસ દ્વારા મેડીકલ ટીમ,એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.ભરતી પ્રક્રિયાની શરૂઆત થતા જ ઉમેદવારોનો ઠંડીમાં પણ જોશ અને જુસ્સો નજરે પડ્યો હતો.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.