ભરૂચ: જંબુસરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચના જંબુસરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
  • ભરૂચના જંબુસરમાં બન્યો હતો બનાવ

  • સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું હતું

  • સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરાયું

  • જંબુસર પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ

  • પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ 

ભરૂચના જંબુસરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના જંબુસર તાલુકાની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફરહાન નામનો યુવાન ભગાડી ગયો હતો. બનાવની ફરિયાદ જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ ઇન્સ્પેકટર એ વી પણામિયાએ ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી ફરહાન યુસુફ મલેક સામે સગીરાના અપહરણ અને દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મામલાની ગંભીરતા પારખી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી અપહરણકાર ફરહાનની ધરપકડ સાથે ભોગ બનનાર સગીરાને પરત લાવી તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.